(જીતેન્દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ તા.29 ગોંડલ થી બાર કી.મી.દુર આવેલા ઐતિહાસિક અનડગઢ નાં કિલ્લા માં ત્રિશુલ સ્વરૂપ બિરાજમાન આધ્યશક્તિ મહાકાળી માતાજીનાં મંદીરનો જીર્ણોધ્ધાર પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.29 સોમવાર થી તા.1 બુધવાર દરમિયાન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગોંડલનાં લુણીવાવની બાજુમાં આવેલ અનડગઢ ઐતિહાસિક ધરોહર ધરાવે છે.અનડગઢનાં વસવાટ પહેલા ડુંગર ઉપર કોઈ ચારણ દ્વારા મહાકાળી માતાનું સ્થાપન કરાયાની લોકવાયકા છે.પાવાગઢમાં નૈત્રસ્વરુપ,કલકત્તા માં દુર્ગા સ્વરૂપ તથા અનડગઢ માં ત્રિશુલ સ્વરૂપ મહાકાળી માતા બિરાજમાન છે. અનડગઢ ડુંગર પર વસેલું હોય માલ પરીવહન માટે મુશ્કેલી રહેતી હોય કાળક્રમે લોકો નજીકનાં ગામમાં સ્થળાંતર કરતા ગયા.છેલ્લે ઇ.સ.1976 માં કિલ્લો સંપૂર્ણ વસવાટ વિહોણો થઈ જતા વેરાન બની ગયો હતો.સમયાંતરે કિલ્લો અને જુના બાંધકામ નો પણ નાશ થતો ગયો. અનડગઢ ને જીલ્લાનાં પ્રવાશન સ્થળ માં પ્રવાશન વર્ષ 2006-2007 માં સમાવેશ કરાયો છે.કુમાર મોકાજી દાદાનો પરીવાર એટલે લુણીવાવ, અનડગઢ, સિંધાવદરનાં ગીરાસદાર ભાઇઓ દ્વારા અન્ય દાતાઓ નાં સહયોગ થી મહાકાળી માતાનાં મંદિરનો જીર્ણોધ્ધાર કરી પુન: પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય યજ્ઞ મહોત્સવ તથા 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયુ છે.તા.29 સોમવારનાં મહાયજ્ઞનો પ્રારંભ થશે.તા.30 મંગળવારનાં જલયાત્રા,મહા અભિષેક તા.1 બુધવાર નાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા, પટદર્શન બીડુ હોમ પુર્ણાહુતી મહાપ્રસાદ તથા રાત્રે લોકડાયરાનું આયોજન કરાયું છે.પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આનંદી આશ્રમ વાળધરી નાં પુ.રાજુરામબાપુ,કબીર આશ્રમ લુણીવાવનાં ભરતદાસબાપુ તથા બાલા હનુમાનજી મંદિર નાં પુ.ભગતબાપુ સહિત સંતો મહંતો ઉપરાંત ગોંડલ રાજવી હિમાંશુસિહજી,કુમાર જ્યોતિર્મયસિહ હવામહેલ ઉપસ્થિત રહેનાર છે.મહોત્સવ ને સફળ બનાવવા લુણીવાવ, અનળગઢ સિંધાવદર રાજપુત ક્ષત્રીય સમાજ, મહાકાળી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રમજુભા જાડેજા, પ્રતાપસિંહ જાડેજા,સી.પી.જાડેજા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy