રાજકોટ, તા.2 : ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદીટીસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય 5 આરોપીઓ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે આઇ.પી.સી.ની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-બ)(ફ) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
જે સંદર્ભે જ્યોતિરાદીત્યસિંહ સહિત 5 લોકોની ધરપકડ બાદ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે ફગાવી દેતાં હવે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજા હાઈકોર્ટ પહોંચ્યો છે. જેની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
હાઈકોર્ટે હવે આગળની સુનાવણી 16 જુલાઈના કરશે તેવો જસ્ટિસ એમ.આર. મેંગડે દ્વારા આદેશ આપ્યો છે. તેને રાજ્ય સરકાર અને ફરિયાદ રાજુ સોલંકીને નોટિસ આપી છે. ગણેશ જાડેજાની જામીન અરજી કરી એનો જવાબ રજૂ કરવા માટે રાજ્ય સરકાર અને ફરિયાદી રાજુ સોલંકીને નોટિસ. ગણેશ જાડેજા વતી હાઈકોર્ટ એડવોકેટના સોનિયા એડવોકેટ નિરુપમ નાણાવટી અને પ્રશાંત ખંઢેરિયા જામીન અરજી પર દલીલો કરી હતી.
અપહરણ, મારામારી, હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતના ગુનામાં ઝડપાયેલા ગણેશ જાડેજા ઉપરાંત જયપાલસિંહ જાડેજા, ઈન્દ્રજિતસિંહ, દિગપાલસિંહ, પૃથ્વીરાજસિંહ દ્વારા જામીન પર મુક્ત થવા માટે જૂનાગઢ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. એના પર બંને પક્ષોની દલીલો બાદ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy