વાંકાનેર પાસે અજાણ્યા પુરૂષની હત્યા: ઓળખાણ માટે મદદ માંગતી પોલીસ

Crime | Morbi | 03 July, 2024 | 11:06 AM
થોડા સમય અગાઉ રાજકોટ રેલવે સ્ટેશનથી આવ્યો હતો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી, તા.3
વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

જે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસના જમણા કાંડા પર ’MAA’ અને ’B’ અને ’JAGNYA’ લખેલું છે. અને પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશનથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. અને મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો તેની માહિતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને આપવા અપીલ કરેલ છે. 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156  અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 ઉપર સંપર્ક કરવા ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj