લંડન,તા.26
જાનવરોમાંથી માણસમાં વાયરસ આવ્યા હોય તેવી વાત આપણે સાંભળી છે. પણ એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે, માણસ હંમેશા જંગલી અને ઘરેલુ પ્રાણીઓમાં વાયરસ ફેલાવે છે. જેથી તેમનામાં એક પ્રકારની બિમારીનો ખતરો વધી જાય છે. યુનિવર્સીટી કોલેજ લંડન (યુસીએલ) ના સંશોધકોએ વાયરલ જિનોમનું વિશ્લેષણ કર્યું.
જેથી ખબર પડી કે, મનુષ્યોને કયારેય પણ વાયરસ ફેલાવવાનો સ્ત્રોત માનવામાં આવ્યો નથી અને માનવથી પશુમાં વાયરસ ફેલાવવા પર ઘણુ ઓછુ ધ્યાન આપવામાં આવ્યુ છે.યુસીએલનાં જીનેટીકસ ઈન્સ્ટીટયુટ અને ફ્રાન્સીસ કિક ઈન્સ્ટીટયુટનાં ડોકટરેટ છાત્ર, મુખ્ય લેખક સેડ્રીક ટેને જણાવ્યું હતું કે, જયારે જાનવર માણસ પાસેથી વાયરસ પકડે છે.
ત્યારે માત્ર જાનવરને જ નહિં પણ આખી પ્રજાતિને નુકશાન પહોંચાડે છે. તેને રોકવા માટે મોટી સંખ્યામાં પશુઓને મારવાની જરૂરત પડે છે. આ સિવાય જો મનુષ્યોમાંથી લાવવામાં આવેલ કોઈ વાયરસ કોઈ નવી પશુ પ્રજાતિને સંકમીત કરે છે તો મનુષ્યમાંથી ખતમ થયા પછી પણ આ વાયરસ પોષાતો રહી શકે છે.
12 મિલિયન વાયરલ જીનોમનું વિશ્લેષણ
નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન જર્નલમાં પ્રકાશીત સ્ટડી માટે ટીમે લગભગ 12 મીલીયન વાયરલ જીનોમનું વિશ્લેષણ કર્યુ હતું. સંશોધકોએ જાણ્યું કે માણસોથી જાનવરમાં ફેલાતો વાયરસ લગભગ બે ગણાથી વધુ હોય છે.
આ પેટર્ન મોટાભાગનાં વાયરલ પરિવારોમાં સુસંગત હતી. પ્રો. ફ્રેન્કોઈસ બલોકએ કહ્યું હતું કે, મનુષ્યોમાંથી જાનવરોમાં વાયરસ ફેલાવવો સંક્રમણની એક રીત છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy