છેલ્લા નવ વર્ષથી રાધાવલ્લભ ગૌસેવા સમિતિ કાર્યરત હતી

ગીરગઢડામાં 34 કરોડની સરકારી તથા ગૌચરની જમીન ખુલ્લી કરાવતા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા

Saurashtra | Veraval | 05 July, 2024 | 11:31 AM
સાંજ સમાચાર

ગીરગઢડા,તા.5
ગીર સોમનાથ જીલ્લા કલેકટર  દિગ્વિજયસિંહ જાડેજા ને મળલી રજુઆત અને ફરીયાદો બાદ ગીરગઢડા ગામે રૂબરૂ મુલાકાત લીધી હતી અને નેશનલ હાઈવે માર્ગ અને મામલતદાર સેવા સદન નજીક મોટાં પાયે સરકારી જમીનમાં ગેરકાયદેસર દુકાનો બનાવીને દબાણો થયેલ હોવાનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને સરકારી તેમજ ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માટેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આપતાં પ્રાન્ત અધિકારી તેમજ  ગીરગઢડા મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી દ્વારા મેધા ડીમોલેશન હાથ ધરી ને સરકારી સ.નં.31/પૈ.3ની અંદાજિત કુલ જમીન હે.04-85-70 ચો.મી. માં રાધા વલ્લભ ગૌશાળા સેવા ટ્રસ્ટ, ગીરગઢડા દ્વારા તાર ફેન્સીંગ કરી છેલ્લા 09 વર્ષથી પેશકદમી કરી કબજો કરેલી જમીન  ધ્યાને આવતાં.

ત્યાં બનેલી 30દુકાનોપાકી બનાવેલ હોય તે તોડી પાડી તમામ ગૌચર ની જમીન એકત્રિત કરી ખુલ્લી જમીનનો કબ્જો  રાધા વલ્લભ ગૌ સેવા સમિતિના સભ્યો પાસેથી ગીરગઢડા મામલતદાર એ પરત લઇ લીધો હતો મામલતદાર નાં જણાવ્યા અનુસાર આ જમીનની હાલની અંદાજિત બજાર કિ.રૂા.33,99,55,000 (અંકે રૂપિયા ત્રેત્રીસ કરોડ, નવ્વાણું લાખ, પંચાવન હજાર) જેટલી થાય છે.

ગૌચર ની જમીન હોવાં છતાંનાં લોકોની કમીટી બનાવીને ગૌશાળા નામે ટ્રસ્ટ ઊભું કરી દેવાયું હતું ત્યારબાદ ગેરકાનૂની રીતે બાંધકામ કરીને દુકાનો નું વેચાણ ભાડાં પટ્ટે પાઘડી થી જાહેર હરાજી કરી વેંચી દેવાતાં દુકાનો ખરીદનારા માથે હાથ દઇને રડી રહ્યા છે તેમનાં પૈસા ડુબી જતાં ચીંતા માં મુકાયાં છે હાલ ગૌચર ની જમીન નો કબજો સરકારે મેળવી લેતાં ગૌચર ખુલ્લું થયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj