♦હાઇવેથી ખંભાલીડા બૌધ્ધગુફા સુધીનો ડામર રોડ તૈયાર કરાયો, દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓ માટે બેસવા કલાત્મક આઠ કુટીરો બનાવાયા
રાજકોટ:તા 4
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ ખંભાલીડા ગામના પાદરમાં 1800 વર્ષ પહેલા કોતરાયેલી બૌધ્ધ ગુફા આવેલી છે. બોધીસત્વ અવલોકિતેશ્વર પદ્મપાણી અને વ્રજપાણીના પુરાકદના શિલ્પો કોતરાયેલ ગુજરાતમાં આ એક માત્ર બૌધ્ધગુફા છે. જે સમગ્ર પશ્ચીમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધશિલ્પ સ્થાપત્ય છે. પુરાતત્વ મહારત્ન: પુરાતત્વવિદ પી.પી.પંડયાએ બૌધ્ધ ગુફાની શોધ 1958માં કરેલ હતી. સાંતવડાની નાની ડુંગરમાળાની ગોદમાં ઝરણા કિનારે સુંદર કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારમાં આવેલી બૌધ્ધગુફા પુરાતત્વ વિભાગ હેઠળ રક્ષીત સ્મારક છે.
સતત 21 વર્ષની ધીરજપૂર્વક મહેનત બાદ આજે બૌધ્ધગુફા સુધી પહોંચવા હાઇવેથી ખંભાલીડા બૌધ્ધગુફા સુધીનો ડામર રોડ થયો, સ્થળ ઉપર સફાઇ કાર્ય થયું.પગથીયા, કમ્પઉન્ડવોલ બની, દેશ-વિદેશથી આવતા મુલાકાતીઓ માટે બેસવા કલાત્મક આઠ કુટીરો બનાવવામાં આવી, ટોઇલેટ યુનીટ , પીવાના પાણીની વ્યવસ્થા થયેલ છે, હાલ ચાલી રહેલી કામગીરીમાં બૌધ્ધગુફા સુધી સરળતાથી પહોંચવા નાના પગથીયા તેમજ સલામત રેમ્પ બનાવવામાં આવ્યુ.
છેલ્લા ત્રણ ચોમાસા દરમ્યાન બૌધ્ધગુફામાં ખુબ પાણી ટપકતુ હતુ તે અટકાવવા ટ્રીટમેન્ટ કરવામાં આવી, ખવાતા જતા શિલ્પો ઉપર, ચેત્યગૃહમાં આવેલ સ્તુપ પર રસાયણીક ટ્રીટમેન્ટ કરવામાં આવી જેથી તેનુ આયુષ્ય વધે, હજાસે ચામાચીડીયાનુ નિવાસ બનેલ તેને દુર કરવામાં આવ્યા. બૌધ્ધગુફા પ્રાંગણને પથ્થર અને આર્ટીફીશીયલ લોનથી સજાવવામાં આવ્યું.
2007-08 થી સતત રજુઆતો બાદ રાજય સરકાર ધ્વારા સુવિધાજનક પ્રવાસન સ્થળ મંજુર થયુ. 2011માં તત્કાલીન નાણામંત્રી ધ્વારા તેનુ ખાતમુહુર્ત થયું હતું. જે બૌધ્ધ સ્થાપત્યની ડિઝાઇન મુજબ બનાવવામાં આવી રહ્યું છે. બૌધ્ધગુફા રક્ષીત સ્થળ છે તેથી નિયમાનુસાર તેનાથી 300 મીટર દુર આશરે 15 કરોડના ખર્ચથી પ્રવાસન સ્થળ આજે લગભગ તૈયાર થયેલ છે. પ્રવાસન સ્થળ મુલાકાતીઓ માટે સુવિધાજનક બની રહેશે." હાલના નિયામક ડો. પંકજભાઇ શર્મા તથા રાજકોટ સર્કલ ઓફીસના નિષ્ઠાવાન; સક્રિય સુપ્રીન્ટેન્ડન્ટ સિધ્ધાબેન શાહ" બૌધ્ધગુફા માટે ખાસ ધ્યાન આપી રહેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy