ભારતનો વિરોધ છતાં કેજરીવાલ મુદ્દે અમેરિકાની ફરી ગુસ્તાખી

India, World | 28 March, 2024 | 05:41 PM
કેજરીવાલની ધરપકડ મામલે ગઇકાલે જ અમેરિકી અધિકારી ગ્લોરિયાને વિદેશ મંત્રાલયે બોલાવી ભારતની આંતરિક બાબતોમાં માથુ ન મારવાની સલાહ આપ્યાની ગણતરીના કલાકોમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલર બોલી ઉઠ્યા: કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરવા પર અમેરિકાની વોચ છે
સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.28
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અમેરિકાએ કરેલી દખલગીરી મામલે હજુ ગઈકાલે જ ભારતે વિરોધ દર્શાવી કહ્યુ હતુ કે આ અમારો આંતરિક મામલો તેમ છતાં અમેરિકા સુધરવાનુ નામ ન લીધુ હોય તેમ ફરી કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. આ વખતે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે જણાવ્યુ હતુ કે કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેન્ક ખાતાઓ સીઝ કરવાના મામલા પર અમેરિકા નજીકથી વોચ રાખી રહ્યુ છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે કેજરીવાલની ધરપકડ પર અમેરિકા નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહીત કરશે. કેજરીવાલની ધરપકડ મુદ્દે જર્મની બાદ અમેરિકાએ ટિપ્પણી કર્યા બાદ ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી મિશનનાકાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બર્બેનાને બોલાવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
આમ છતાં ગણતરીના કલાકોમાં અમેરિકાએ ફરી કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી છે.

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેન્ક ખાતા સીઝ કરવાના મામલા પર અમેરિકા નજીકથી નજર રાખી રહ્યુ છે. અમેરિકી રાજદૂતને ગઈકાલે બોલાવ્યા બાદ અમેરિકાએ ફરી આજે જણાવ્યુ હતુ કે અમે નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાનૂની પ્રક્રિયાને પ્રોત્સાહીત કરીએ છીએ. અમને નથી લાગતુ કે આની સામે કોઈને વાંધો હોવો જોઈએે. ઉલ્લેખનીય છે કે ઈડીએ દિલ્હીના સીએમ કેજરીવાલની દિલ્હીની શરાબનીતિ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ મામલે ધરપકડકરી છે.

ઉપરોકત મામલે અમેરિકાના પ્રવકતા ગ્લોરિયાએ કરેલી ટિપ્પણી પર ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે કૂટનીતિમાં અન્ય દેશોથી બીજા દેશોના સાર્વભૌમત્વ અને આંતરિક મામલાનુ સન્માન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. અમેરિકા જેવા લોકશાહી દેશની આવા મામલાઓમાં જવાબદારી વધી જાય છે, નહીં તો આથી ખોટી પ્રણાલી કાયમ થઈ શકે છે.

વિદેશ મંત્રાલયે વધુમા જણાવ્યુ હતુ કે ભારતની કાનૂની પ્રક્રિયા સ્વતંત્ર ન્યાયપાલિકા પર આધારિત છે, જે ઉદેશપૂર્ણ અને સમયબધ્ધ પરિણામ માટે પ્રતિબધ્ધ છે. તેના પર સવાલ ઉઠાવવો અનુચિત છે. બીજી બાજુ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મિલરે જણાવ્યુ હતુ કે અમે કોંગ્રેસ પાર્ટીના આરોપોથી માહિતગાર છીએ કે ટેકસ અધિકારીઓએ તેમના કેટલાક બેન્કખાતા ફ્રીઝ કરી દીધા છે, જેથી આગામી ચૂંટણીમાં અસરકારક પ્રચાર કરવો પડકાર બની જાય.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj