નવી દિલ્હી,તા.28
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને જયારે ચુંટણી લડવા મામલે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે ચુંટણી લડવા માટે પૈસા નથી. જયારે તેમને વધુમાં આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારતની સંચિત નિધિ તેની પોતાની નથી, અને મારી બચત, મારું વેતન, મારી આવક છે નહીં કે ભારતની સંચિત નિધિ.
ભાજપ નેતા નિર્મલા સીતારામને ટાઈમ્સ નાઉ સમીટ 2024માં જણાવ્યું હતું કે એક સપ્તાહ સુધી વિચાર કર્યા પછી મેં આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી લડવા સંબંધી ભાજપે મને પ્રસ્તાવ કર્યો હતો પણ મેં તેનો અસ્વીકાર કર્યો હતો.
મેં તેમને કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે જરૂરી ‘એ પ્રકારનું ધન’ મારી પાસે નથી. મારી સામે એ પણ સમસ્યા હતી કે ચુંટણી આંધ્રપ્રદેશમાંથી લડુ કે તમિલનાડુમાં જીવવા માટેના વિભિન્ન માપદંડો પણ સવાલ છે.
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, તે વિભિન્ન ઉમેદવારો માટે પ્રચાર કરશે. બધા પક્ષોએ ચુંટણી બોન્ડ લીધા છે: ચૂંટણી બોન્ડને લઈને વિપક્ષો ભાજપ પર નિશાન સાધી રહ્યા છે તેના સંદર્ભમાં કેન્દ્રીય નાણામંત્રી સીતારામને કહ્યું હતું કે બધા મુખ્ય રાજનીતિક દળોએ ચુંટણી બોન્ડ વસુલ્યા છે. આ મામલે કોઈને કંઈ કહેવાનો નૈતિક અધિકાર નથી.
કારણ કે તે કાયદેસર અને કાયદા અનુસાર છે તેમણે એ પણ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ સામે સુપ્રીમ કોર્ટના ફેસલાને ધ્યાને લઈને ચુંટણીમાં નાણાકીય પોષણને લઈને વધુ ચર્ચાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ચુંટણી બોન્ડ સંસદમાં પસાર કરાયા હતા અને કાયદા મુજબ બધા પક્ષોએ તે ખરીદ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy