રાજકોટ,તા.1
જેઠ વદ અગીયારશને મંગળવાર તા.2-7-24ના દિવસે યોગીની એકાદશી છે. જીવનમાં જ્ઞાન,વિદ્યા અને યોગનું મહત્વ સૌથી વધારે અને ખાસ છે. જેનાથી સંયમ રાખી સકાય છે.
પૂજન :-ભગવાનને સાકર ધરાવવા નું મહત્વ
યોગીની એકાદશીનું પૂજન : મંગળવારે સવા2ે વહેલા ઉઠી અને નિત્ય કર્મકરી ત્યારબાદ સ્નાન કરી પીળા અથવા સફેદ અથવા તો લાલ વસ્ત્ર ધારણ કરવા શુભ રહેશે..ત્યાર બાદ એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને તેનાં ઉપર વિષ્ણુ ભગવાનની છબી પધરાવી બાજુમા ઘીનો દિવો કરી ત્યાર બાદ ભગવાનને ચાંદલો, ચોખા કરી ફુલ છબી ઉપર પધરાવવું, અબીલ, ગુલાલ પધરાવી ભગવાનને ધુપબત્તી અર્પણ કરવી. નૈવેદ્યમાં સાકર ખાસ ધરવી, આરતી કરી અને ભગવાનની ક્ષમાયાચના માંગવી, ત્યાર બાદ યોગીની એકાદશીની કથા વાંચવી અને પછી શિવજીનાં મંદિરે જઈ અને મહાદેવજીને પાણીનો એક લોટો ચડાવવો, સાંજે ભગવાનનું કિર્તન કરવું, રાત્રીનાં 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું, બપોરે સુવું નહી. આ દિવસે ઉપવાસ રહેવો શ્રેષ્ઠ ગણાશે
ફળ કથન
ફળ કથન : યોગીની એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં જો શની રાહુનો શ્રાપિત દોષ હોય તો તેમાં રાહત થાય છે. શરીરમાં ચામડીની બિમારી હોય તો દૂર થાય છે. જીવનનાં બંધનો દૂર થાય છે.
કથાનો બોધ
યોગીની એકાદશીનો બોધ: જીવનમાં હંમેશા સંયમ રાખવો મોહ માયાથી દૂર રહેવું અને પોતાનાં કામકાજમાં નિષ્ઠાપૂર્વક કામ કરવું, બહેનોએ પણ પોતાનાં ઘર કામ કરતી વખતે પુરી નિષ્ઠા રાખવી. -
શાસ્ત્રી રાજદીપ જોશી.(વેદાંત રત્ન)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy