નવી દિલ્હી:
ભાજપે પીલીભીતની વર્તમાન સાંસદ વરૂણ ગાંધીની ટિકીટ કાપી છે તેની તમો હવે કોઈ નવા જુની કરશે તેવી અટકળો વચ્ચે ટીમ વરૂણના જણાવ્યા મુજબ વરૂણ ગાંધી હવે લોકસભા ચુંટણી લડશે નહી અને તેની માતા મેનકા ગાંધી માટે સુલ્તાનપુર બેઠક પર પ્રચાર કરશે. ભાજપે તેની જે પાંચમી યાદી જાહેર કરી છે.
તેમાં પીલીભીતમાં વરૂણ ગાંધીના સ્થાને કોંગ્રેસમાંથી આવેલા યુવા નેતા જીતીનપ્રસાદને ટિકીટ આપી છે જે બાદ વરૂણ ગાંધી કોંગ્રેસ અથવા સમાજવાદી પક્ષમાં જોડાઈ શકે છે તેવી અટકળો શરૂ થઈ હતી.
પરંતુ ઉતરપ્રદેશ ભાજપના અધ્યક્ષ ચૌધરી ભુપેન્દર સિંઘે જાહેર કર્યુ કે, વરૂણ ગાંધી માટે પક્ષના મોવડીમંડળે કોઈ ખાસ તક વિચારી રાખી હશે તેમાં લોકસભા ચૂંટણી લડતા નથી પણ તેમના માતાની બેઠક પર પ્રચાર કરશે. ત્રણ વખત ભાજપની ટિકીટ પર સાંસદ રહી ચૂકેલા વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાનું પણ આમંત્રણ છે પણ તેમને પક્ષ છોડશે નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy