વૃશ્ચિક રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં નવમા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પસાર થઇ રહ્યો છે. અહીં સ્વગૃહી બળવાન ચંદ્ર શુભ ફળ આપી શકે છે. ધાર્મિક બધા-માનતા પૂર્ણ બનાવી શકાય. તીર્થસ્થાનની મુલાકાત શક્ય બને.દશમા સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને સાતમા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અન્ય લોકો પર વધુ પડતો વિશ્વાસ રાખીને ચાલવું નહીં. ભાગીદારો સાથે થોડું જતું કરવાનું વલણ રાખવું ઇચ્છનીય ગણાય. કર્મક્ષેત્રે જાગૃત રહીને પ્રામાણિકતા પૂર્વક કાર્ય આગળ વધારવા. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ દશમા સ્થાન પરથી થશે. પિતાના ગૌરવમાં વધારો થઈ શકે તેવા કોઈ કાર્ય માટે નિમિત્ત બની શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાન પરથી થશે. અનિતિ યુક્ત કાર્ય દ્વારા આર્થિક પ્રગતિ પામવાના પ્રયત્નોથી દૂર રહેવું ઇચ્છનીય ગણાશે.આર્થિક સંકડામણમાં પડી શકો તેવા જોખમો-સાહસોથી દૂર રહેવું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy