મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચુંટણી માટે મહાઅઘાડી ગઠબંધનમાં શિવસેનાએ (ઉદ્ધવ ઠાકરે જૂથ) તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે જેમાં બે પુર્વ કેન્દ્રીય મંત્રીઓને પક્ષે ટિકીટ આપી છે. જેમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અનંત ગીલેને રાયગઢ અને પુર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતને દક્ષિણ મુંબઈની બેઠક પરથી ઉદ્ધવ ઠાકરેએ ટિકીટ આપી છે.
બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ તેના 16 બેઠકોના ઉમેદવાર જાહેર કરતા અને ખાસ કરીને મુંબઈની પાંચ બેઠકો પર તેના ઉમેદવાર મુકતા મુંબઈ કોંગ્રેસના પુર્વ પ્રમુખ સંજય નિરૂપમે હવે શિવસેનાના વલણ સામે વિરોધ કરીને રાજયમાં મોવડીમંડળને ગઠબંધનમાંથી બહાર નીકળી જવા સલાહ આપી છે. તેમણે કહ્યું કે જો પક્ષને બચાવવો હોય તો ગઠબંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ.
હજુ સુધી એનસીપી કોંગ્રેસ તેના ઉમેદવાર જાહેર કર્યા નથી પણ 44 બેઠકો પર સમજુતી થઈ છે જે મુજબ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથને 19 કોંગ્રેસને 16 અને એનસીપીને 15 બેઠકો પર ચુંટણી લડવાની છે પણ મુંબઈની બે બેઠકો માટે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે વિવાદ છે. આ ઉપરાંત સાંગલી બેઠક માટે હજું સમજુતી થઈ નથી ત્યાં ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર જાહેર કરી દીધા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy