નવી દિલ્હી, તા.27
શરાબ કાંડમાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરાયેલી ધરપકડને પડકારતી રીટ પર આજે બપોરે દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો આવી રહ્યો છે તે પૂર્વે જ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે આજે વધુ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં શરાબ કાંડમાં જે દરોડા પડ્યા છે.
તેમાં એક પણ રૂપિયાની રીકવરી થઇ નથી. જે દર્શાવે છે કે કોઇ ભ્રષ્ટાચાર થયો નથી તેમણે જણાવ્યું કે કેજરીવાલ આવતીકાલે કોર્ટમાં એક મોટો ધડાકો કરશે. કેજરીવાલની ધરપકડ બાદ સતત તેમની વતી મીડીયા સમક્ષ આવી રહેલા સુનિતા કેજરીવાલે આજે જણાવ્યું હતું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ઉપરાંત સાંસદ સંજયસિંહ અને અમારા ઘરે પણ દરોડા પડ્યા હતા. પરંતુ એક પણ રૂપિયો ઝડપાયો નથી.
તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ભલે જેલમાં રહે પરંતુ તેમની આત્મા દિલ્હીના લોકો સાથે છે અને દિલ્હી માટે તેઓ ચિંતા જેલમાં કરે છે. તેમણે ઉમેેર્યું કે અત્યાર સુધીમાં 250થી વધુ દરોડા પડી ચૂક્યા છે. પરંતુ કોઇ એવા દસ્તાવેજ કે રોકડ પકડાયા નથી કે શરાબ કાંડમાં ભ્રષ્ટાચાર સાબિત થઇ શકે. તેમણે કહ્યું કે કેજરીવાલ આ અંગે આવતીકાલે અદાલત સમક્ષ ધડાકો કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy