મુંબઈ: દેશમાં ડિજીટલ ઈકોનોમીને વેગ આપવા અને કેશ ઈકોનોમી ને નિયંત્રણમાં રાખવા માટે વધુને વધુ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં હવે એટીએમ વ્યવસ્થાને પણ સાંભળી લેવામાં આવશે. લોકો તેમની રોકડ નાણાની આવશ્યકતા તેમના બેન્ક ખાતામાંથી ઉપાડવા માટે એટીએમ વ્યવસ્થાનો ઉપયોગ કરે છે તેમાં નાણા ઉપાડવાની મર્યાદા હોય છે પણ ગ્રાહક એકથી વધુ વખત વ્યવહાર કરીને તેના માટે જરૂરી નાણા મેળવી બેન્કોના કાર્ડ મારફત કે કાર્ડ ઈસ્યુ કરનારી એજન્સીના કાર્ડનો ઉપયોગ કરીને નાણા મેળવી શકયા છે.
હાલમાં જ કો ફેડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રીઝ અને રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા વાહનોની બેઠકમાં એટીએમમાં નાણા ઉપાડવાના ચાર્જ મુદે ચર્ચા થઈ હતી. દેશમાં હાલ 2.60 લાખ એટીએમ કાર્યરત છે અને હવે એટીએમ રાખવાની જગ્યાના ભાડા કેશ લોડીંગ માટેના ખર્ચ તથા સલામતી ખર્ચ આ તમામ વધ્યા છે.
ગ્રાહક ખુદની બેન્ક કરતા અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરે તો તેનો ચાર્જ પણ એક મર્યાદાના વ્યવહાર બાદ વધારાયો છે જે હાલ રૂા.17 છે જે હવે રૂા.20 કરાશે અને તેઓ અર્બન ક્ષેત્રમાં રૂા.23 કરાશે.
આ ઉપરાંત લોડીંગ કંપનીઓએ કેસેટ સ્વેપ ચાર્જ ખાલી કેસેટના સ્થાને નાણા ભરેલી કેસેટ મુકવી તે પણ વધારી છે. એક સૂચન મુજબ જે ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર, પેન્શનર્સ કે તેવા ચોકકસ વર્ગના લોકો કરતા ખુદના નાણાનો ઉપાડમાં જેમ વધુ મોટા રકમનો ઉપાડ તેમ વધુ ચાર્જ તે ફોર્મ્યુલા અપનાવી છે.
મોટી રકમના ઉપાડથી એટીએમ ઝડપથી ખાલી થાય છે અને તેમાં નાણા ભરવાની વ્યવસ્થા વધુ કરવી પડે છે. આવી એક મર્યાદા છે. વધુ રકમના ઉપાડ પર વધારે ચાર્જ લાદવાની પણ ખાસ તૈયારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy