નવી દિલ્હી તા.28
દિલ્હી હાઈકોર્ટે આજે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રીપદથી હટાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. અદાલતે જણાવ્યું હતું કે કેજરીવાલને પીએમ પદથી હટાવવાના મામલામાં ન્યાયિક દખલની જરૂર નથી. કોર્ટે કહ્યું હતું કે અમારે રાજનીતિક ક્ષેત્રમાં ઘુસવું ન જોઈએ અને તેમાં ન્યાયિક હસ્તક્ષેપની કોઈ સંભાવના પણ નથી.
કાર્યવાહક ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતું કે, અમે સમજીએ છીએ કે કોઈપણ આદેશ કેમ પસાર કરવામાં આવે. અમારે રાષ્ટ્રપતિ કે એલજીને કોઈ માર્ગદર્શન નથી આપવાનું. કાર્યકારી શાખા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે અને તેનું માર્ગદર્શન કરવું અદાલતનું કામ નથી.
અદાલતે અરજદારને કહ્યું હતું કે, અદાલતને વિશ્વાસ છે કે કાર્યકારી શાખા આ બધાની તપાસ કરી રહી છે અને તેમાં કેટલોક સમય પણ લાગી શકે છે પણ તેના પર તે નિર્ણય લેશે. આજે પરીસ્થિતિ એવી છે, જેની કલ્પના પણ નહીં કરાઈ હોય, પણ આમાં કોઈ કાનૂની રોક નથી.
અરજદાર સુરજીતકુમાર યાદવે અરજી દાખલ કરીને કહ્યું હતું કે કેજરીવાલ પર કૌભાંડનો આરોપ છે અને તેમને સરકારી પદ પર રહેવાની મંજુરી ન આપવામાં આવે. અરજદારે સાથે સાથે કેજરીવાલને ઈડી કસ્ટડીથી આદેશ જાહેર કરવા પર રોકની પણ માંગ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy