પટણા (બિહાર), તા.2
ગઇકાલે સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ શાસક પક્ષ પર કરેલા પ્રહારોને લઇને દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સત્તા પક્ષને ઘેરવા કોઇ કસર ન રાખનાર રાહુલ ગાંધીના સમર્થનમાં હવે આરજેડી ઉતરી આવ્યું છે. રાજદના પ્રવકતા શક્તિસિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં રાહુલને ખરો આઇનો દેખાડ્યો છે.
રાજદે વધુમાં જણાવ્યું હતું કે સનાતનનું કામ કોઇને ડરાવવાનું અને ધમકાવવાનું નહીં બલ્કે સૌહાર્દનું વાતાવરણ બનાવવાનું હોય છે. પણ ભાજપનું કામ સમાજમાં ડર અને ભયનો માહોલ બનાવવાનું છે.
શક્તિસિંહ યાદવે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ જે સનાતન, હિન્દુની વાત કરે છે તે ના તો સનાતન છે, ના હિન્દુ. હિન્દુ અને સનાતનનું કામ સૌથી સાથે રાખીને ચાલવાનું છે. પણ એથી ઉણું ભાજપના લોકો નફરત ફેલાવે છે.
રાજદના પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના લોકો ભયનો માહોલ પેદા કરે છે. લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરે છે. આ ક્યારેય પણ હિન્દુ સંસ્કૃતિ ન હોઇ શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy