મુંબઈ: પોપ્યુલર ટેલિવીઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડયુસર આસીત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.શોમાં મીસીસ રોશન સોઢીનો રોલ કરતી એકટ્રેસ જેનીફર મિસ્ત્રી બંસીવાલે અસીત મોદી સામે કોર્ટમાં કેસ કર્યો હતો.પોતાની બાકી ફી નહિં ચુકવાઈ હોવાનો અને જાતીય સતામણીનો આરોપ તેમણે લગાવ્યો હતો.
રિપોર્ટસ મુજબ આ કેસની સુનાવણીમાં કોર્ટે જેનીફરની દલીલો ગ્રાહ્ય રાખી આસીત મોદીને વળતર ચુકવવા આદેશ કર્યો હતો.ઈટાઈમ્સનાં રીપોર્ટ મુજબ જેનીફરે કરેલા જાતિય સતામણીનાં કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે આસીત મોદીને બાકીના નાણાં ચુકવવા અને રૂા.પાંચ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
આ અંગે જેનીફરે ઈટાઈમ્સને જણાવ્યું હતું કે ચુકાદો તેમની તરફેણમાં આવ્યો છે. નકકર પુરાવા સાથે રજુઆતો થઈ હોવાથી અસીત મોદી સામેના આક્ષેપોને ગ્રાહ્ય રખાયા છે, આ કેસમાં અસીત મોદીએ કુલ રૂા.25.30 લાખ ચુકવવાના થાય છે.
અસીતે કરેલી સતામણી બદલ રૂા.પાંચ લાખનું અતિરીકત વળતર ચુકવવાનું થાય છે. આ કેસનો ચુકાદો 15 ફેબ્રુઆરીએ આવી ગયો હતો. પરંતુ તેને જાહેર નહી કરવા કહેવાયું હોવાથી તે ચુપ હતી.
જોકે હજુ સુધી વળતરના નાણાં ન મળ્યા હોવાનો દાવો જેનીફરે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2023 ના વર્ષમાં અસીત મોદી, આપેરેશન હેડ સોહીલ રામાણી અને એકઝીકયુટીવ પ્રોડયુસર જતીન બજાજ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેમાં જેનીફરે તેમની સામે જાતીય સતામણી સહીતના આરોપ લગાવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy