(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી થોડા દિવસો પહેલા અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હતા જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાર બાદ હાલમાં આ બનાવમાં બે શખ્સોની સામે હત્યાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને મહિલાઓની સામે ન સમજાય તેવી મૃતક ભાષા બોલતો હતો અને જવનું કહેવા છતાં જતો ન હતો જેથી તેને લાકડી અને દોરડા વડે માર મારતા તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું.
વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા પથુભાઈ દેલવાણીયાએ ગત તા 24/6 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કે, જામસર ગામ નજીક લખમણભાઇ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડેલ છે જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ બનાવમાં હાલમાં જામસર ગામે રહેતા પથુભાઇ ભનુભાઇ દેલવાડીયા જોત કોળી (46)ની ફરિયાદ લઈને પોલીસે પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરીયા અને અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા રહે. બંને જામસર વાળાની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યુ છે કે, જેની હત્યા કરવામાં આવેલ છે તે અજાણ્યો યુવાન ખેતર નજીક મહીલાઓ સામે જોઇ ન સમજાય તેવી ભાષા બોલતો હતો .
જેથી તેને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું હતું તો પણ તે ગયો ન હતો. જેથી આરોપી પ્રભુભાઇ દંતેસરીયાએ તેને લાકડીથી માર માર્યો હતો અને અશોકભાઇ દેલવાડીયાએ દોરડા વડે માર માર્યો હતો જેથી તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે. જેથી પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy