ધોરાજી તા.28
ભાયાવદરના અમૃતલાલ જેઠાભાઈ જાવીયાનું અવસાન થતા ઉપલેટાના સેવાભાવી પરાગભાઈ જાવીયાએ ધોરાજી ખાતે ડો. જયેશ વેસેટીયનને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ધોરાજીની સરકારી હોસ્પીટલના ડો. વેસેટીયન અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર, નીતીન સાગઠીયા, નીતીન ચુડાસમા અને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા સહીતનાઓ એમ્બ્યુલન્સ મારફતે પહોંચી ભાયાવદર ખાતે ચક્ષુદાન સ્વીકારેલ હતું.
આ તકે મહેશભાઈ જાવીયા, અજીતભાઈ જાવીયા, મનીષભાઈ જાવીયા, ગૌતમભાઈ જાવીયા, વિમલભાઈ જાવીયા, કીશોરભાઈ જાવીયા અને મેડીકલવાળા પરાગભાઈ જાવીયા, કીશોરભાઈ જાવીયા અને મેડીકલવાળા પરાગભાઈ જાવીયા સહીતના હાજર રહેલ હતા.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ જાવીયા પરિવારની સેવાઓને બિરદાવી સ્વ. અમૃતલાલભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલ ધોરાજીને આ 242મું ચક્ષુદાન મળેલ છે. ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન કરવા માટે મો.નં. 9898701774 અને 9898715775 અને સરકારી હોસ્પીટલ ધોરાજીના ફોન નં. 02824-220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy