વિસાવદર,તા.28
ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા, તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, કલેકટર,પ્રાંત અધિકારી વિગેરેને લેખિતમાં મેઈલ કરી જણાવેલ છે કે,વિસાવદર મામલતદાર કચેરીના પ્રજા માટે બનાવવામાં આવેલા શૌચાલયોને ઓફિસના અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા તાળા મારી પોતાના અંગત ઉપયોગ માટે ઉપયોગ કરવામાં આવી રહીયો છે.
વિસાવદર તાલુકો જુનાગઢ જિલ્લામાં સૌથી મોટો તાલુકો હોય તાલુકાના 84 જેટલા ગામો તથા 18 થી 20 જેટલા નેશોની પબ્લિક અહીં આવતી હોય તેમા કેટલાય વૃદ્ધ, અપંગ, તથા લેડીશો આવતા હોય ત્યારે તેમના ઉપયોગ માટે બનાવવામાં આવેલ શૌચાલયો ને કચેરી તરફથી તાળા લગાવવામાં આવેલ છે
તે તાળા તાત્કાલિક અસરથી ખોલી નાખવામાં આવે તેમજ ફરીથી આવા તાળા મારવામાં ન આવે અને તાળા મારનાર કર્મચારી સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવા અમારી રજુઆત છે.
અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગોમાં પહોંચાડી કરેલ કાર્યવાહીનો લેખીત જવાબ નાગરિક અધિકારપત્ર અન્વયે અમારા ટિમ ગબ્બર ગુજરાતના સરનામે મોકલવા અમારી માંગણી અને રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ નયનભાઈ જોશીની જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy