રાજકોટ તા.28
ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણી હસુભાઈ મકવાણા દ્વારા આગામી દિવસોમાં દંત ચિકિત્સા અને બત્રીસીના કેમ્પનું આયોજન વિવિધ સામાજિક ધાર્મિક અને સેવાકીય સ્થાનિક સંસ્થાઓના સહયોગથી યોજાશે. જેમાં તા.26ના રોજ કચ્છી પાટીદાર સમાજ થાણે (મહારાષ્ટ્ર)નો પણ સમાવેશ થાય છે.
તા.27 માર્ચ મહાજન પાંજરાપોળ વેરાળ નાકે, ભાણવડ (જી.દેવભૂમિ દ્વારકા) તા.1 એપ્રિલ દર મહિનાની માફક સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવાસી સુવિધા કેન્દ્ર સોમનાથ ખાતે તેમજ તા.4 એપ્રિલના રોજ જામનગર જીલ્લાના જામજોધપુર ખાતે ગાયત્રી પરીવાર દ્વારા ગાયત્રી મંદિર ધ્રાફા રોડ જામજોધપુર ખાતે તેમજ તા.11 એપ્રીલના રોજ જલારામ બાપાના ધામ એવા ચરખડી ખાતે જલારામ મંદિર લંડનના સહયોગથી ભવ્ય દંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે.
આ ઉપરાંત શિવાનંદ મિશન મેડીકલ સેન્ટર રાજકોટ, રોટરી કલબ પ્રાઈમ રાજકોટ, ઈન્દુબેન ગઢવી, મેમોરીયલ ટ્રસ્ટ રાજકોટ અને શિવબાબા ગ્રુપ બગસરા તેમજ ખોડીયાર ગરબી મંડળ કાલાવડ તેમજ એન.વી. ત્રિવેદી ટ્રસ્ટ દ્વારા જામનગર ખાતે એક એક કેમ્પનું આયોજન છે.
કેમ્પમાં ડો.જયસુખ મકવાણા (જાલંધર બંધ દ્વારા દાંત કાઢવાના નિષ્ણાત) અને તેમની ટીમ ડો. અભિજા બેનશ્રી ડો. ઉષા ઘાયલ, ડો. સંજય અગ્રાવત, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને રાજુભાઈ વરિયા, કલ્પનાબેન જોશી તેમજ વાહીદ મારફાણી સેવા બજાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy