મોરબીના નગરજનોને પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ, સ્વભંડોળમાં થયેલ ગોલમાલની તપાસ કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

Local | Morbi | 28 March, 2024 | 01:46 PM
વાપરવામાં આવેલી ગ્રાન્ટની રીકવરી કરાવો : ગટર સાફ કરવાના કામમાં પણ લોકો સાથે ચીટીંગ
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી, તા. ર8
 

મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારબાદ ભાજપની બોડીને સુપર સીડ કરવામાં આવી ત્યાં સુધીમાં જે કામો કરવામાં આવેલ છે તે તમામ કામોની તમામ તપાસ કરવામાં આવે અને 45-ડી હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની રિકવરી કરવામાં આવે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને નગરપાલિકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીકળ્યું છે અને સ્વભંડોળની જે ગોલમાલ કરવામાં આવી છે તેની તટસ્થ તપાસ કરીને તે પૈસાની રિકવરી થાય તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે

પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે છાશવારે ધારાસભ્ય સહિત નગરપાલીકાના વહીવટદાર તેમજ ચીફ ઓફીસરના અખબારી નિવેદનો આવે છે કે નગરપાલીકાની તીજોરી તળીયા ઝાટક છે અને લોકોએ કરવેરા ભરી દેવા જોઈએ. ખરી વાત છે કરવેરા ભરી દેવા જોઈએ. પરંતુ નગરપાલીકા તંત્ર લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે અને બત્રીસ કરોડ જેવું સ્વભંડોળ હતુ તે ક્યાં વપરાયું છે. તેની તપાસ કરવામાં આવી નથી. ત્યારે કાયદાનો દંડો ઉગામીને લોકોની મિલ્કતો સીલ કરીને કરવેરાની વસુલાત કરવામાં આવી રહી છે. તે લોકાશાહી સાથે સુસંગત નથી.જેથી જરૂરી તપાસ કરીને ગેરરીતી આચરીને જે નગરપાલીકાના નાણાં ગેરવલ્લે ગયા છે તે તમામ નાણાંની વસુલાત કરવામાં આવે તેવી માંહ કરેલ છે. 

ખાસ કરીને નગરપાલીકામાં 45-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે. તેમાં ઘણા કામ થયા નથી. તેના બીલ ચુંકવાઈ ગયા હોય તેવી લોકોની ફરીયાદ છે. પરંતુ લોકોની આવી વાત સાંભળવા તમારે કાન નથી. ત્યારે આ 45-ડી હેઠળ 100% કામ કર્યુ હોય તો પણ તે ગેરકાયદેસર છે. કેમ કે શહેરમાં કુદરતી કે માનવ સર્જીત કોઈ આપતી નહોતી કે નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક યોજી ન શકાય. તેમ છતાં 45-ડી હેઠળ જે કામ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે અને તે હેઠળ વાપરવામાં આવેલી ગ્રાન્ટની રકમ વસુલવામાં આવે અને નગરપાલીકાની તિજોરીમાં જમા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

નગરપાલીકા વિસ્તારમાં લોકોના ઘરની ગાર સાફ કરવા માટે નગરપાલીકાનું વાહન આવે છે અને સાફ કરી જાય છે અને આ વાહન ચાલક જે તે ઘરના માલીક પાસે રૂા. 1200/- સ્થળ ઉપર જ વસુલ કરે છે અને તેની પહોંચ પણ આપવામાં આવતી નથી. તો ખરેખર ગટર સાફ કરવાનો ચાર્જ શું છે ? અને ખરેખર વસુલાત કરવામાં આવી છે તે રકમ સાથે સંસંગત હોય તો પહોંચ કેમ આપવામાં આવતી નથી? જાન્યુઆરી-2024 થી આજ સુધીમાં આવી ભો-ખાળ સાફ કરવા અંગે વસુલ કરેલ ચાર્જ અંગે તપાસ કરવામાં આવે, આ ઉપરાંત ઝુલતો પુલ તુટ્યો તે પહેલા નગરપાલીકાએ જે જે કામ કર્યા છે તેના ફળ કે સુવિધા શહેરની જનતાને મળી નથી. તો આ પર (બાવન) બેઠક ભાજપે જીતીને ચાર્જ સંભાળ્યો ત્યારથી બોડી સુર5સીડ થઈ ત્યાં સુધીના કરેલા વિકાસના કામોની તપાસ કરવામાં આવે અને જે કામ આજે કોઈ રીતે સુવિધાયુકત ન હોય તો તેવા કામોના ચુકવાણાના બીલની રકમ વસુલ કરવામાં આવે અને આવી એજન્સીઓને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj