અયોધ્યા તા.23
આ વર્ષે રામનવમીએ રામલલાના લલાટ પર સૂર્ય તિલક નહીં થઈ શકે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ભવન નિર્માણ સમીતીની બે દિવસીય બેઠક શુક્રવારે સમાપ્ત થઈ હતી. બીજા દિવસની બેઠકમાં સીબીઆરઆઈના વૈજ્ઞાનિકોની ટીમના પ્રેઝન્ટેશન બાદ નકકી થઈ ગયું છે કે આ વર્ષે રામનવમીએ રામલલાના લલાટ પર સૂર્ય કિરણોથી અભિષેક થવો સંભવ નથી.
જો કે વૈજ્ઞાનિકોએ એ પ્રયાસ જરૂર કર્યો હતો કે 161 ફુટ ઉંચે શિખરના નિર્માણ પહેલા જ કોઈ ખુણાથી સૂર્ય કિરણોને પરાવર્તિત કરીને રામલલાના લલાટ સુધી પહોંચાડવામાં આવે પણ તેમની ટેકનીક અસરકારક ન નિવડી, જેથી એ નકકી થયું હતું કે શિખરના નિર્માણ બાદ જ આ પ્રયોગ કરવામાં આવે.
તો બીજી બાજુ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયે રામનવમી મેળાની તૈયારીઓના બારામાં જણાવ્યું હતું કે અનેક વિષયો પર મંથન ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રામનવમીએ 25થી30 લાખ ભકતો આવશે.
આટલા બધા એક દિવસે નહીં આવી શકે. આથી જાહેર છે કે તે બે-ચાર દિવસ પહેલા આવશે. આ દરમિયાન સમસ્યા એ પેદા થશે કે તેમને ભોજન કયાં મળશે! રાત્રી નિવાસ કેવી રીતે કરશે. શૌચાલયની વ્યવસ્થા કયાં થશે. ટ્રાફિક કંટ્રોલ કેવો હશે તેની ચિંતા કરાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy