(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.29
ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજીના રાજ્યકક્ષાના માનનીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ, CSIR એ સમગ્ર દેશમાં સમાવિષ્ટ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ‘વન વીક વન થીમ’ (OWOT) પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ પહેલમાં યોગદાન આપતા, CSMCRI, ભાવનગર દ્વારા 27 જૂન, 2024ના રોજ ઊર્જા અને ઊર્જા સામગ્રીમાં પડકારો અને તકો પર ધ્યાન કેન્દ્રિત કરતી એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપની શરૂઆતમાં, વરિષ્ઠ પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો. સુવર્ણા મૈતી દ્વારા પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સીએસએમઆરઆઈના નિદેશક ડો. કન્નન શ્રીનિવાસન દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ડો. આશિષ લેલે, થીમ ડિરેકટર, એનર્જી એન્ડ એનર્જી ડિવાઇસીસ, CSIR-NCL, પુણે દ્વારા વિશેષ સંબોધન આપવામાં આવ્યું હતું. ડો.અનિલ કે. દુબે ડાયરેક્ટર, સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યા નગર એ ગ્રીન એનર્જી ઉત્પાદનના સંભવિત સ્ત્રોત તરીકે પાકના અવશેષોની ચર્ચા કરી. પ્રો. સૌરભ એસ સોની, એસ.પી. યુનિવર્સિટી, વલ્લભ વિદ્યા નગરે ધાતુની આયન બેટરીના વિકાસ માટેના મૂળભૂત સિદ્ધાંતો અને વિવિધ ઊર્જા ક્ષેત્રોમાં તેમની વિવિધ એપ્લિકેશનો પર વાત કરી હતી. કાર્યક્રમના સંયોજક ડો.વૈભવ કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના 120થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy