પ્રભાસ પાટણ,તા.1
પ્રાચી ગાયત્રી દેવી ધામ ખાતે ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનની બેઠક મળી હતી જેમાં આવક જાવક ખર્ચ તેમજ કામકાજ પડતર પ્રશ્ર્નોે વગેરે ચર્ચા કરવામાં આવી. ત્યાર બાદ વર્તમાન સમયમાં અસરકારક નિર્ણાયક કામગીરી માટે સંગઠનના નવા હોદેદારોની નિમણુંક બાબતે ગહન ચર્ચા કરવામાં આવી અને અંતે સંગઠનના નવા જિલ્લા પ્રમુખ તરીકે ઉનાના વતની અશોક કુમાર બી. રાઠોડ અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે રામસિંહભાઈ વી.પરમાર ગુદરણ, તાલાલાની સર્વસંમતિ થી વરણી કરવામાં આવી, બાકીના હોદેદારોની નિમણુંક આવતી તા.28 જુલાઈના રોજ ગાયત્રી દેવી ધામ ખાતે મળનારી મિટિંગમાં કરવામાં આવશે.તદ્ ઉપરાંત આ મીટીંગમાં જુના તથા નવા માજી સૈનિકોના રજીસ્ટ્રેશન અને સન્માન કરવામાં આવશે.
(તસ્વીર: દેવાભાઇ રાઠોડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy