જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા 1
વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને કાર લઈને આવેલા લોકોની કાર માટેલીયા ધરા પાસે પાર્ક કરીને મૂકી હતી દરમિયાન કારચાલકે કારમાં બ્રેક ના બદલે ભૂલથી લીવર દબાવી દેતા કાર સીધી ધરામાં ખાબકી હતી જોકે, રામાં હાલ પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા ચારથી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને ગુજરાત અને ગુજરાત બહારથી અનેક ભક્તો આવતા હોય છે તેવી જ રીતે કાર લઈને ચારથી પાંચ લોકો આજે માટેલ ગામે માતાજીના દર્શન કરવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે ધરાની નજીક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરીને મૂકી હતી.
જે કારમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠા હતા અને કાર ચાલકે કારને બ્રેક લગાવવાના બદલે ભૂલથી લીવર લગાવી દેતા કાર સીધી જ માટેલીયા ધરામાં ખાબકી હતી જોકે કાર ધરામાં પડી ત્યારે તેમાં ચારથી પાંચ વ્યક્તિઓ બેઠેલા હતા પરંતુ હાલ ધરામાં પાણી નહીવત હોવાથી કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy