વાંકાનેર તાલુકાનાં જામસર સીઆરસીની વીડી જાંબુડીયા, રાજગઢ અને સમથેરવા પ્રા. શાળામાં ક્ધયા કેળવણી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન એ.પી. જોષી (સરકારી શ્રમ અધિકારી મોરબી), જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ., તાલુકા સદસ્ય કાંજીયા રમેશભાઈ, માવુબા ઝાલા તેમજ ગામના સરપંચની ઉપસ્થિતમાં આંગણવાડી, બાલવાટિકા અને ધો. 1 ના બાળકોને દફતર કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ જામસર સીઆરસીની તમામ શાળાના બાલવાટિકાના વિદ્યાર્થીઓને 450 જેટલી માતબર દફતર કીટ દાતા પ્રવીણભાઈ કુણતિયા (વરડુસર) દ્વારા આપવામાં આવેલ છે. તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy