જુનાગઢ, તા.29
વંથલીમાં સબર ભવન ખાતે કોંગ્રેસ દ્વારા લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ થઇ હતી આ મામલે વંથલી પ્રાંત અધિકારીએ વંથલી ચીફ ઓફિસર મામલે તપાસ કરાવી હતી. તપાસમાં આ કાર્યક્રમના આચારસંહિતાનો નહીં પણ જાહેરનામાનો ભંગ થયા હોવાનું જણાતા ગઇકાલે વંથલી પોલીસે વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
આ તકે ભાજપની સામે પણ આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ હતી પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી જેમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. વંથલી યાર્ડમાં પોરબંદર લોકસભાની બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સહિતના આગેવાનોનો કાર્યક્રમ યોજાયો હતો જેની કોંગી દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઇ હતી
બાદ સહકારી સંઘના પ્રમુખે સબર ભવનના કોંગ્રેસ લોકસંવાદ કાર્યક્રમ યોજી જેમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ થયેલ ભાજપ તરફથી થયેલ ફરિયાદ અંગે નોડલ અધિકારીએ વંથલી પ્રાંત અધિકારીએ જાણ કરી હતી વંથલી પ્રાંત અધિકારીએ વંથલી ચીફ ઓફિસર મારફત તપાસ કરાવી હતી જેમાં તા. 19-3ના આ કાર્યક્રમ ખાનગી મિલ્કતમાં યોજાયો હતો.
કાર્યક્રમ માત્ર ઇન્ડીયા ગઠબંધનના આગેવાનો પુરતો જ સીમીત હતો. જાહેર સભા કે સરઘસનું આયોજન હતું રેકર્ડ આધારે તપાસ કરતા આ કાર્યક્રમમાં આચારસંહિતાનો ભંગ થયા હોવાનું જણાવ્યું ન હતું પરંતુ કાર્યક્રમ માટે મંજૂરી લીધી ન હોવાથી જાહેરનામાનો ભંગ થયાનું જણાવાયું હતું જેથી વંથલી પોલીસમાં કાર્યવાહી કરવાનો હુકમ કરાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy