રાજકોટ, તા.2
ગુજરાતની પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાના નડાબેટમાં અનરાધાર વરસાદથી રણ વિસ્તારમાં પાણી ભરાયા છે. આસપાસના વિસ્તારો પણ પાણી....પાણી થતાં સ્થળાંતરની તૈયારી કરવામાં આવી છે.
બનાસકાંઠાના સૂઇગામમાં અનરાધાર વરસાદથી સરહદી નડાબેટના રણમાં પાણી ફરી વળ્યા હતા. ભારત-પાકિસ્તાન બોર્ડર પરના આ વિસ્તાર પાણી....પાણી... થઇ ગયા હતા.
સૂઇગામે મામલતદારે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે છતાં જરૂર પડ્યે ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. રાજ્યભરમાં વરસાદી રાઉન્ડ ચાલુ રહ્યો છે. સુરત, વલસાડ, અરવલ્લી સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy