અમદાવાદ તા.28
ઈમરજન્સીમાં દર્દીને અપાતી સીપીઆર ટ્રીટમેન્ટ કેવી કામ આવે છે એ વધુ એક વાર સાબિત થયુ છે. જેમાં અમદાવાદના ટ્રાફીક પોલીસમેને ઈજાગ્રસ્ત એકટીવાચાલકનો જીવ બચાવ્યો હતો.
બુધવારે સવારે એસપી રીંગ રોડ પરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આઈસર ટ્રકના ચાલકે એકટીવાચાલકને ટકકર મારતા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાતા બેભાન થયા હતા અને શ્વાસ બંધ થઈ ગયો હતો. ત્યાં હાજર ટ્રાફીક પોલીસ જવાનોએ તાત્કાલીક ઈજાગ્રસ્તને CPR ટ્રીટમેન્ટ આપી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ કરાવી સારવાર માટે મોકલી આપ્યા હતા. બીજી બાજુ અકસ્માત કરનાર આઈસરચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઈસનપુરના પારસ પ્રભુ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહેશભાઈ જાનીને આઈસર ટ્રકના ચાલકે ટકકર મારતા તે રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની સાથે બેભાન થઈ ગયા હતા.
તે જ સમયે પાંજરાપોળ ચાર રસ્તા પર હાજર ટ્રાફીક પોલીસના હે.કો. જયેન્દ્રસિંહ કાળુસિંહ, હે.કો. ખુમાનસિંહ દાનાભાઈ, પો.કો. વિક્રમસિંહ રાજભાઈ તથા પો.કો. દશરથજી રાજેશકુમારે તપાસ કરતા તેમનો શ્વાસ બંધ થઈ ગયો હતો. જેથી તાત્કાલીક પોલીસ કર્મીઓએ CPR ટ્રીટમેન્ટ આપીને શ્વાસ ચાલુ કર્યો હતો. બાદમાં હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy