જામનગર : તા 4
ફકત સૌરાષ્ટ્ર નહિ પરંતુ ભારતભરમાં સૌથી મોટો પ્રસંગ યોજાયો હોય તો તે જામનગરના આંગણે અંબાણી પરિવાર દ્વારા આયોજિત થયો હતી. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ માટે ત્રણ દિવસની પ્રિ વેડિંગ સેરેમનીનું આયોજન 1 થી 3 માર્ચ દરમિયાન કર્યું હતું. આ સેરેમનીની તૈયારી છેલ્લા 3 મહિનાઓથી ચાલી રહી હતી. 2500 જેટલા મહેમાનો અને એમાં પણ ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને વિદેશ થી આવનાર સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓની યાદી લાંબી હતી.
આ તમામ માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે જામનગર એરપોર્ટ પર હાલ ક્યારેય ન જોવાયો હોય તેવો એર ટ્રાફિક અનુભવાયો હતો. એરપોર્ટ ડાયરેકટર ડી.કે.સિંઘે જણાવ્યું કે 26 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધીમાં 430 ડોમેસ્ટિક અને 110 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા ઓપરેટ કરવામાં આવી હતી. અને એક માત્ર 4 માર્ચના જ 120 ફ્લાઇટ શેડ્યુલ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દરરોજની 5 થી 10 ફ્લાઇટ ઉડાન ભરતી હોય ત્યાં આટલા મોટા પ્રમાણમાં ફ્લાઇટ ઓપરેટ કરવા પાછળ તેમની ટીમની પ્રશંસા કરી હતી. જામનગર એરપોર્ટ જે સામાન્ય રીતે ડોમેસ્ટિક એરપોર્ટ છે તે 26 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી સ્પેશ્યલ પરમિશન સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું
આ એરપોર્ટ પર બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગ, રિહાના, એકોન, કતારના વડાપ્રધાન, આબુ ધાબી અને દુબઈ થી ખાસ ગેસ્ટ, લક્ષ્મી મિત્તલ, સહિતના ઉધોગપતિઓએ તેમના વિમાન મારફત દેશ વિદેશ થી આવી પહોંચ્યા હતા. અંબાણી પરિવારે પણ મહેમાનો માટે 40 જેટલા વિમાનની સેવા ઉપલબ્ધ કરાવી હતી જેમાં બોલીવુડ સેલિબ્રિટી આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy