વેરાવળ,તા.29
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પ્રચાર તેમજ મતદાન દરમિયાન મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વિના અને શાંત વાતાવરણમા યોજાય તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા ચૂંટણી પ્રચારનો સમય પુરો થયા બાદ વિવિધ કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામાં અનુસાર ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ ચૂંટણીને લગતા 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કોઈ મતદાન વિસ્તારમાં કોઈ ચૂંટણી માટેનુ મતદાન પુરૂ કરવા નિયત કરેલા સમયે પુરા થતા અડતાલીસ કલાકના સમય દરમ્યાન કોઈ પણ વ્યકિતએ કોઈપણ મતદાન વિસ્તારમાં જાહેરસભા બોલાવવી, ભરવી કે તેમાં હાજરી આપવી નહી.તેમજ કોઈ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી.
આ હુકમ જે માણસ સરકારી નોકરી/કામગીરીમા હોય, જેઓ ફરજ ઉપર હોઈ તેમને તથા મરણોતર તેમજ લગ્ન અંગેના સરઘસને તથા સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. મતદારના વ્યક્તિગત સંપર્ક દરમ્યાન કોઈને ઉતારી પાડતા, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચનો કરવા નહી.તેમજ ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી રાજકીય પદાધિકારીઓએ તરત જ મતદાન વિભાગ છોડી દેવાનો રહેશે.અને મતદાર વિભાગની હદમાં મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધિત પોલીસ સ્ટેશને નોંધ કરાવવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની જોગવાઈઓ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 તથા આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા.06/06/2024 સુધી સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy