રાજકોટ,તા.28
જૈનમ દ્વારા ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બહોળી સંખ્યામાં રાજકોટ જૈનસમુદાયતો હર્ષભેર જોડાય જ છે, આ ઉપરાંત રાજકોટનાં અઢારેય આલમ જે માંસર્વ જ્ઞાતિ સંપ્રદાય ઉપરાંત એન.જી.ઓ., ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અલગ અલગ જ્ઞાતિનાં અગ્રણીઓ સંગઠનનાં હોદેદારો, સહીતના ંતમામ લોકોને પણ આ ઉજવણીમાં જોડવામાં આવે છે.
સમાજનાં આ તમામ લોકોને કાર્યક્રમ માટે આમંત્રીત કરી તેમ નું યોગ્ય રીતે ફોલો અપ લઈ તેઓ આ કાર્યક્રમમાં માનભેર જોડાય તે માટે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવમાં સંકલન કર્તા તરીકે કામ કરતા જૈનમ પરિવારની એકટીમ આ માટેખાસ કાર્યરત રહે છે. જેઓ આ જન્મકલ્યાણક મહોત્સવ માત્ર જૈન સમાજ પુરતો સીમીતના રહે પરંતુ સર્વે સમાજનો મહોત્સવ બની રહે તે માટે કાર્ય કરે છે.
જે કમીટીમાં મયુરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, નિલેશભાઈ શાહ, મનીષભાઈ મહેતા, ધીરેનભાઈ ભરવાડા, ભરતભાઈ દોશી, સુકેતુભાઈ ભોડીયા, રાજેશભાઈ મોદી, કેતનભાઈ દોશી, મનીષભાઈ મહેતા, અમીતભાઈ લાખાણી, દિવ્યેશભાઈ દોશી, દિશીતભાઈ મહેતા, મનીષભાઈ મહેતા, સંદીપભાઈ સંઘવી, જતીનભાઈ શાહ, કલ્પેશભાઈ દફતરી, બી. કે. શાહ, પારસભાઈ વખારીયા વગેરે જૈનમ પરિવારનાં સભ્ય અત્યારથી જ રાજકોટની અઢારેય આલમ, સંસ્થાઓ, એન.જી.ઓ. વિગેરેનો સંપર્ક કરી આ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રીત કરી રહયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy