રાજકોટ : 28
ગોકુલ હોસ્પિટલ વિધાનગર મેઇન રોડ રાજકોટ ખાતે મંગળવારે 26 માર્ચના રોજ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા 1.5 ટેસ્લા ધરાવતા અધ્યતન MRI મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ડો.પ્રકાશ મોઢા એ જણાવેલ કે ગોકુલ હોસ્પિટલ હંમેશા એક માનવસેવા મંદિર તેના લોગોમાં જણાવ્યું તે પ્રમાણે ચાલે છે અને જ્યારે જ્યારે ગરીબ દર્દીઓને અથવા મધ્યમ વર્ગના દર્દીઓને નાણાકીય મુશ્કેલી હોય ત્યારે તેમની પડખે ઉભો રહી અને તેમની સારવારમાં કોઈ કચાશ ન રહે તેનું હંમેશા ધ્યાન રાખે છે.
રેડીઓલોજી ટીમમાં ડોક્ટર કાર્તિક ગોહિલ, ડોક્ટર પાર્થ પટેલ, ડો ભાવિક પરમાર અને ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ ડોક્ટર કૃષ્ણદાસ રાદડિયાનો સમાવેશ થાય છે. ડોક્ટર કાર્તિક ગોહિલ 70,000 થી વધારે એમઆરઆઇ રિપોર્ટિંગનો અનુભવ ધરાવે છે. ડો.ગોહિલ બે વર્ષ માટે લીલાવતી હોસ્પિટલમાં ફરજ બજાવી છે. આ ઉપરાંત છેલ્લા 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ગોકુલ હોસ્પિટલની યાદીમાં જણાવવામાં આવે છે કે તેમની તમામ સુવિધાઓ 24 કલાક ઉપલબ્ધ છે .
જેમાં હવેથી એમઆરઆઈનો પણ સમાવેશ થાય છે જે ઇમરજન્સી,અકસ્માત, સ્ટ્રોક ના કેસ 2 માં ત્વરીત સારવાર માટે આશીર્વાદ રૂપ થાય છે. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની વિશેષ હાજરી હતી. ખછઈં ની વધુ માહિતી માટે 9687596877ઉપર સંપર્ક કરવા વિનંતી. ગોકુલ હોસ્પિટલમાં અકસ્માત થી થતી ઈજામાં સરકારી સહાયની યોજના તથા પીએમજેવાય યોજનાઓની હેઠળ વિવિધ રોગોની સારવારની સુવિધા ઉપલબ્ધ છે. સાંજ સમાચાર ની મુલાકાતે ડો.તેજસ કરમટા, ડો.કાર્તિક ગોહિલ અને પબલિક રિલેશન ઓફિસર ઉર્મિશ વૈશ્નવ ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy