રાજકોટ, તા.28
શહેરનાં મોમાઈનગર મફતિયાપરા રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા યુવકને આંચકી ઉપડતા બેભાન હાલતમાં 108 ની ટીમે મૃત જાહેર કર્યો હતો. બનાવની વિગત મુજબ મોમાઈનગર મફતિયાપરા રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા અશોકભાઈ જેકશીભાઈ કુંવરિયા (ઉ.વ.34) નામનો યુવકને ગઈ કાલે રાત્રીના અચાનક આંચકી ઉપડતા પરિવારજનોએ 108ને જાણ કરી હતી.
108ની ટીમે યુવકને તપાસી ઘરે જ મૃત જાહેર કર્યો હતો. બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પરીવારમાં કલ્પાંત છવાયો છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી- બે પૂત્ર હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy