રાજકોટ,તા.29
રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામે ક્ષત્રિય સમાજના ચાલી રહેલા રોષ વચ્ચે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં ફાર્મહાઉસ પર સાંજે યોજાનારી ક્ષત્રિય આગેવાનોની બેઠક પૂર્વે સમાધાનનો તખ્તો તૈયાર થઈ રહ્યાના નિર્દેશ છે.
પુરૂષોતમ રૂપાલા ગધેથડ સ્થિત પૂ. લાલબાપુનાં આર્શીવાદ લેવા જવાના હોવાના નિર્દેશ અને ત્યારબાદ ક્ષત્રિય આગેવાનોની મીટીંગમાં પણ જાય તેવી સંભાવના છે. ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં સાંસદ કેસરીદેવસિંહ, પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, સહિતનાં ક્ષત્રિય આગેવાનો તથા નેતાઓ ઉપસ્થિત રહેવાના છે.આ મીટીંગમાં સૌરાષ્ટ-ગુજરાતનાં ક્ષત્રિય સંગઠનોનાં હોદેદારો ઉપસ્થિત રહેશે. સુત્રો દ્વારા એવુ જાણવા મળે છે કે જો આ બેઠકમાં બધુ જ સમુસુતરૂ પાર પડે તો રૂપાલાને મીટીંગમાં તુરત બોલાવી લેવામા આવશે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે જયારે આ વિડીયો વાયરલ થયો તેની કલાકોમાં જ રૂપાલાએ દિલગીરી વ્યકત કરી હતી.ત્યારબાદ છેલ્લા પાંચ દિવસથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો ભાજપનાં સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી ફરી આ બેઠકમાં માફી માંગશે અને બધુ ઘીના ઠામમાં ઘી પડશે કે પછી શુ પરિણામ આવે છે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy