સાવરકુંડલાના ચંપકલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિતે પરીવાર દ્વારા 1700 અનાજ-કરીયાણા કીટનું નિ:શુલ્ક વિતરણ

Local | Amreli | 29 March, 2024 | 01:28 PM
સાંજ સમાચાર

સાવરકુંડલા,તા.29
 

સાવરકુંડલા શહેરમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરીવાર મુંબઈ (સાવરકુંડલા વાળા) દ્વારા સ્વ. ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલાના જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રી કીટનું  વિતરણ કરવામાં આવ્યું.સાવરકુંડલા ખાતે આજરોજ મહાકાળી ચોક ખાતે આવેલ શોપીંગ કોમ્પલેક્ષમાં સ્વ. ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતાં ચાર છાશ કેન્દ્રના 1700 જેટલાં લાભાર્થીઓને ખાદ્ય ચીજવસ્તુઓની કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશભાઈ કટારિયા, ડો.અંકુર પટેલ, ડો. હેમલ ચોટલીયા, વિદુલાબેન સૂચક, મહેન્દ્રભાઈ કુકડિયા, સાવરકુંડલાના પત્રકાર પ્રદીપભાઈ દોશી, બિપીનભાઈ પાંધી, યોગેશ ઉનડકટ તથા દીપકભાઈ પાંધી ઉપસ્થિત રહ્યા હતા આ ખેતાણી પરીવાર દ્વારા સાવરકુંડલાના 1700 જેટલા પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે.

અહીં સાવરકુંડલા ખાતે ખેતાણી પરીવારની સૂચના મુજબ આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ખેતાણી પરીવાર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો પર વર્ષમાં ચાર વખત આ પરીવાર દ્વારા ચાલતાં છાશ કેન્દ્રના લાભાર્થીઓને આવી કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj