ગાંધીનગર, તા. 23
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજયમાં જમીનોના નવા જંત્રી દર લાગુ કરવા સરકાર તૈયારી કરવા લાગી છે. ઓગષ્ટમાં નવા દર લાગુ થાય તેવી શકયતા વચ્ચે મહાનગરોમાં જયાં વિકાસની વધુ તક છે ત્યાં દર વધે અને જયાં વિકાસની તક નથી તે વિસ્તાર ઉપરાંત ગામડામાં જંત્રીના દર ઘટી શકે એવા સંકેત છે.
ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં ગુજરાત સરકાર નવા જંત્રી દરો લાગુ કરવાની છે. લોકસભાની ચૂંટણીની મત ગણતરી બાદ રાજ્યમાં હાલમાં જે જંત્રીના દરો ચાલી રહ્યાં છે તેમાં મોટા પ્રમાણમાં ફેરફાર આવી શકે છે, આ દરો આગામી ઓગસ્ટ મહિનામાં લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.
રાજય સરકાર હવે રાજ્યમાં વધુ એક માળખુ બદલવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી જંત્રીને લગતા દરોમાં ધરખમ ફેરફાર સાથે નવા દરો લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે.
સુત્રો અનુસાર, ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીના દરો લાગૂ થઇ જશે, આ સમગ્ર પદ્ધતિને એક સાયન્ટિફિક સર્વે બાદ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બિલ્ડરોનો જબરદસ્ત વિરોધ હોવા છતાં નવા જંત્રી દરોનો નિર્ણય લાગૂ કરવા સરકાર મક્કમ બની છે.
આ નવા પ્લાનમાં મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજારભાવ સંલગ્ન જંત્રી દર આવશે. જ્યા વિકાસની તક ઓછી છે તેવા વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે. તેની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જંત્રીના દર ઘટી શકે છે. જ્યારે મહાનગરોના પોશ વિસ્તારોમાં જંત્રી દર વધી શકે છે. મહાનગર આસપાસ અર્બન ઓથોરિટીમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ જંત્રી દર વધી શકે છે.
ભવિષ્યમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ આવી શકે તેવા વિસ્તારોમા જંત્રી દર વધી શકે છે. મહાનગરના જૂના શહેરી વિસ્તારો જ્યા વિકાસની તક નથી ત્યાં જંત્રી દર ઘટી શકે છે. આ ઉપરાંત અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના દર ઘટી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy