રાજકોટ, તા. 29
રાજકોટ મનપાના પ્રદ્યુમન પાર્ક ઝુમાં સવા બે વર્ષ બાદ ફરી બે સફેદ વાઘનો જન્મ થતા રાજકોટ ઝુમાં નવું આકર્ષણ ઉમેરાયું છે. સફેદ વાઘણ ગાયત્રી અને નર દિવાકરના સંવનનથી નવા બે બચ્ચાએ જન્મ લીધો છે. તો ગાયત્રીએ અત્યાર સુધીમાં 12 બચ્ચાને જન્મ આપતા રાજકોટમાં 15 સફેદ વાઘ અવતર્યા છે.
રાજકોટ મનપાએ આજ સુધીમાં પંજાબ સહિતના ઝુને 7 સફેદ વાઘ અને વાઘણ આપ્યા પણ છે. તો હાલની સ્થિતિએ રાજકોટ ઝુમાં સફેદ વાઘની સંખ્યા 10 હોવાનું ઝુ સુપ્રિ. ડો. આર.કેે.હીરપરાએ જણાવ્યું હતું. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાના અંતે તા.25 માર્ચના રોજ સાંજના સમયે બે વાઘ બાળનો જન્મ થયેલ છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે.
હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે. રાજકોટ ઝુમાં થયેલા વાઘના બ્રિડીંગ પર નજર કરીએ તો તા.9-5-15ના રોજ દિવાકર અને યશોધરાના સંવનનથી એક વાઘ માદાનો જન્મ થયો હતો. તા.16-5-15ના રોજ દિવાકર અને ગાયત્રીના સંવનનથી ચાર માદા વાઘ, તા.2-4-19ના રોજ દિવાકર અને ગાયત્રીના સંવનનથી ચાર વાઘ બાળ, તા.18-5-22ના રોજ દિવાકર અને ગાયત્રીના સંવનનથી બે નર વાઘનો જન્મ થયો હતો. તા.5-12-22ના રોજ દિવાકર અને કાવેરીના સંવનનથી બે નર વાઘનો જન્મ થયો હતો. આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્યાઘર સુધીમાં કુલ 12 બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યા ર સુધીમાં કુલ 15 સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે.
સફેદ વાઘનું આગમન
વર્ષ 2014-15 દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહ જોડી એક આપવામાં આવેલ. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ5વામાં આવેલ છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ-2નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થઇ ગયેલ છે. જેમાં નર-3, માદા-5 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે.
હાલ ઝૂ માં જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ-564 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે અને દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવે છે.
► પ્રદ્યુમન પાર્ક ઝુમાં તા. 25ના રોજ જન્મેલા બે બાળ વાઘ અને તેની માતા ‘ગાયત્રી’ જોવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy