સુરેન્દ્રનગરમાં રૂપાલાના પૂતળાનું દહન : ક્ષત્રિય સમાજના 10 આગેવાનો સામે ગુનો દાખલ

Gujarat | Surendaranagar | 29 March, 2024 | 04:55 PM
રાજકોટ લોકસભા બેઠક પરથી નામ રદ્દ કરવા અવાજ: ભાજપને વિરોધની અવગણના ભારે પડવાની ચેતવણી: વિરોધમાં મોટી સંખ્યામાં જોડાતા યુવાનો : કેસ નોંધાતા ફરી ચકચાર
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા. 29
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઇ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણી સામેનો રોષ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી રહ્યો છે, રૂપાલાની ટિકિટ રદ્દ કરવા માંગણી વચ્ચે ઠેર-ઠેર વિરોધ કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે ગઇકાલે સુરેન્દ્રનગરમાં કેન્દ્રિય મંત્રી રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવતા અને તેના પગલે 10 આગેવાનો સામે ગુનો નોંધાતા ફરી ચકચાર જાગી છે.  ક્ષત્રિય સમાજના કાર્યાલય બહાર આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને ઉમેદવાર માફી માંગે તો પણ વિરોધ શાંત નહિ થાય તેવું એલાન આપવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પણ ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર પરસોતમભાઈ રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ખાસ કરીને પરસોતમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને આ જ લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગરના ધાર્મિક રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્સમાં બેઠક યોજવામાં આવી હતી ત્યારે અનેક પ્રકારે નિર્ણયો કરવામાં આવ્યા હતા અને ભાજપને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું તે છતાં પણ ઉમેદવાર હટાવવામાં ન આવતા અંતે ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો છે.

ત્યારે સુરેન્દ્રનગર ખાતે આવેલા ક્ષત્રિય સમાજના મધ્ય કાર્યાલય ખાતે પહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ડો. રૂદ્રસિંહ ઝાલા તેમજ સમાજના અગ્રણીઓ તથા સમાજના આગેવાનો તથા વડીલોની બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યું હતું કે પરસોત્તમભાઈ રૂપાલા માફી માંગી લે તો તે પતી જાય તેવું નથી અને વારંવાર ક્ષત્રિય સમાજના થતા અપમાન હવે ક્ષત્રિય સમાજ સહન નહીં કરે અને આ જ અંગે નિર્ણય કરી પરષોત્તમભાઈ રૂપાલાનું પૂતળા દહન કરવામાં આવ્યું છે.

ગુનો નોંધાયો
દરમ્યાન પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ આગેવાનોમાં યુવરાજસિંહ પરમાર, કૃષ્ણપાલસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, મહાવીરસિંહ, નિર્મળસિંહ, વિશ્વરાજસિંહ, હરદેવસિંહ, મયુરસિંહ, હીતેન્દ્રસિંહ અને રાજભા સહિતના આગેવાનો સામેલ છે. તેઓ સામે આઈ.પી.સી 143 149 135 સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરાતા આગેવાનો ફરી રોષે ભરાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj