રાજકોટ,તા.28
ઓલ ઈન્ડીયા BSNL-DOT પેન્શનર એસોસિએશનની કાલે તા.29ના શુક્રવારે ‘ગુડ ફાઈડે’ના દિવસે સવારે 10 કલાકે ભારત સેવક સમાજ શ્રી પ્રણવાનંદ સંસ્કૃત ભવન હોલ નહેરૂ ઉદ્યાન રેસકોર્ષ ખાતે જીલ્લા પ્રમુખ નીરૂબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીકટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઓલ ઈન્ડિયા વાઈસ પ્રેસીડેન્ટ તથા ગુજરાતના AIBDPA ના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનીયારા cwc મેમ્બર મનસુખભાઈ ઠુંમર, અશોક હિંડોચા, લાભુબેન સાવલીયા, મીનાબેન મહેતા, વી.એલ.પોપટ, અશોકભાઈ ચુડાસમા, એન.જી.પરમાર, વી.એમ.લાલકીયા, હિતેચાબેન વૈષ્ણવ, કલ્પનાબેન પંડયા, કિર્તીબેન જેઠવા, મંજુબેન પરમાર, સુરેશભાઈ રાજપરા, પી.વી.કલોલા, સહિતના ઉપસ્થિત રહેશે. આ તકે મનુભાઈ ચનીયારાનું વિશેષ બહુમાન કરવામાં આવશે.આ તકે રાજકોટમાં AIIMS એઈમ્સ શરૂ થયા બાદ MOU થયેલ છે. પરંતુ વેલનેથ સેન્ટર મંજુર થયેલ હોવાથી કેન્દ્રના હજારો કર્મચારીઓને તથા BSNL-DOT ના નિવૃત કર્મચારીઓને CGHS સવલતોના લાભ મળતા નથી જેથી આ બાબતે સભ્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy