અમદાવાદ: તા 23
બુધવારે સાંજે બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા હતા. શાહરૂખની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ કિંગખાનને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હાલ શાહરુખ ખાનની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યુ છે. અને થોડીવાર મા શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે મહત્વનું છે કે, અભિનેતા શાહરુખ ખાનને ડિહાઈડ્રેશન અને ખાંસીની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પત્ની ગૌરીખાન તેમની સાથે છે.
ગઇકાલે કિંગખાન અમદાવાદ મા હતા જ્યાં ગરમી ના કારણે લૂ લાગી જતા અમદાવાદ ની ઊંઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આખી રાત ઓબ્ઝર્વેશન મા રાખવા આવ્યા હતા. તેમજ જરૂરી તમામ રિપોર્ટ કરાયાં હતાં. હાલ તેઓની તબિયત સ્થિર છે અને થોડીવાર મા હોસ્પિટલમાંથી રજા અપાશે. સવારે તબીબો એ ફરી તપાસ કરી હતી. જેમાં બધું નોર્મલ આવ્યું હતું.
અભિનેતા શાહરુખ ખાનની તબિયત સ્થિર છે. આજે શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી શકે છે. હિટ સ્ટ્રોક અને ખાંસીની ફરિયાદ બાદ શાહરુખને અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. આજે કિંગખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ શાહરુખને હોસ્પિટલથી રજા આપી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy