સુરત તા.16
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બેક ટુ બેક દુર્ઘટનાઓ બની રહી છે જેમાં શારજાહથી આવેલી ફલાઈટ લેન્ડ થયા બાદ ડમ્પર સાથે ટકરાતા જોરદાર ટકરાવ ધડાકો-ઝાટકો અનુભવતા મુસાફરો ગભરાઈ ઉઠી ચીસો પાડી ઉઠયા હતા. સદભાગ્યે વિમાનની પાંખને નુકશાન થયુ હતું. મુસાફરોનો બચાવ થયો હતો.
રાત્રે 10.30 કલાકે સુરત એરપોર્ટ પર શારજાહથી આવેલી ફલાઈટ અડ્ઢઇ AxB 172 VT ATJ લેન્ડ થયા બાદ રનવેથી ટેકસી ટ્રેક તરફ જઈ રહી હતી ત્યારે ડમ્પર સાથે ટકરાતા વિમાનમાં બેઠેલા મુસાફરો ગભરાયા હતા. વિમાનની પાંખને નુકશાન થયુ હતું. સદભાગ્યે 160 પેસેન્જરોનો બચાવ થયો હતો. ડમ્પરની ટકકર સમયે મુસાફરો ગભરાઈ જતા ક્રુમેમ્બરો-સ્ટાફ સૌને શાંત કરી મામલો થાળે પાડયો હતો.
સુરત એરપોર્ટ ડાયરેકટર સુરેશ સુરેશ ભોલસેએ જણાવ્યું હતું કે રાત્રીના બનેલી ઘટનાની એરપોર્ટે ઓથોરીટી ઓફ ઈન્ડીયા તરફથી તપાસનાં આદેશ આપી દેવાયા છે. એરપોર્ટ પર ટેકસી માટે પણ ટ્રેક બનાવવાનું કામ શરૂ છે. આ ઘટના બની તે સમયે પેરેરલ ટેકસી માટે ટ્રેક બનાવવાનું કામ ચાલતુ હોય ત્યાં ડમ્પર ખોટી જગ્યાએ પાર્ક કરેલ હોવાથી ફલાઈટ ટકરાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy