(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.18,050ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના દાળમિલ રોડ પર આવેલા ઓમકારનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે પોતાના વતન પીલુડી ગામે ધાર્મિક પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરો તીજોરીમાં રહેલા રૂ.18,050ની કિંમતના સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અને વિરેન્દ્રસિંહ દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy