(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.28
ધોરાજી નજીક આવેલ સુપેડી મુરલીમનોહર મંદિર ખાતે ભાવિકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનના મંડાણ કરાયા છે. મુરલીમનોહર મંદિર ખાતે પરંપરાગત આઠમી ગુરૂગાદીએ ચાલતા સનાતન ધર્મનો મનોરથ ફરીથી ચાલુ થાય એ માટે આ લડત શરૂ કરવામા આવી છે.
સુપ્રસિધ્ધ મુરલીમનોહર મંદિરમાં પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરતા સુપેડી ગ્રામજનો તથા આજુબાજુના ભાવિકોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ છે. આ મંદિરમાં ફ્રી મનોરથ, ફ્રી ધ્વજારોહણ, ફ્રી અન્નક્ષેત્ર સહિતની સેવા નિ:શુલ્કપણે ચાલતી હતી
તેમા સરકારે હસ્તક્ષેપ કરતા ભાવિકોમાં રોષ જોવા મળેલ છે. તેના અનુસંધાને સુપેડીના ગ્રામજનો, આગેવાનો, ભકતો, મંદિરના મહંતો દ્વારા આજથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરાયેલ છે.
ભાવિકોના આ પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા હજુ પણ આગળનો આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામા આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy