જામનગર તા.28
જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવા નાણાકીય વર્ષનું છેલ્લુ અઠવાડીયુ હોવાથી લોકોને પણ સમયસર બાકી વેરો ભરપાઈ કરી આપવા અનુરોધ કર્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા જુના બાકી વેરા ભરપાઈ કરનાર આસામીને 100 ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે. હવે આ યોજનાની મુદ્દત પૂર્ણ થતી હોવાથી અનેક મિલકતધારકો પૈસા ભરવા મહાનગરપાલિકા પહોંચી રહ્યા છે. બીજી તરફ વાર્ષિક લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વેરા શાખા પણ વસુલાત ઝુંબેશ ચલાવી રહી છે. હવે વર્ષ 2023/24 નું છેલ્લુ અઠવાડીયું બાકી છે,
ત્યારે વધુને વધુ વેરા રકમ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આગામી શુક્રવારના ગુડ ફ્રાઈડેની અને રવિવારે જાહેર રજા છે.આમ છતાં આ બન્ને રજાના દિવસોમાં મહાનગરપાલિકાના કેશ કાઉન્ટરો અને સિવીક સેન્ટરોમાં વેરો વસુલાતની કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવનાર છે. નગરજનો પણ વ્યાજ માફી યોજનાનો લાભ મેળવે તે માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy