જામનગર તા.28
ગિર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં 25 વર્ષ પહેલાં નોંધાયેલા મારામારીના એક ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીઘો હતો જેનો કબજો ઉના પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારથી વુલન મીલ રોડ પર ફાટક પાસે રહેતા મંગાભાઈ લાખાભાઈ પરમાર નામના શખ્સ સામે વર્ષ 1999 માં ઉનાના પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો.જે ગુનામાં આરોપી નાસતા ફરતા રહયા હોવાનુ ખુલ્યુ હતુ. જે દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયાના નેતૃત્વમાં પોલીસ ટુકડી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ડ્રાઇવ અંતર્ગત વર્કઆઉટ કરી રહી હતી
જે વેળાએ સ્ટાફના સલીમભાઈ નોયડા, ગોવિંભાઈ ભરવાડ, ભરતભાઈ ડાંગર સહિતની ટીમને આરોપી દિગ્મામ સર્કલ પાસે રેલવે ટ્રેક નજીક આવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્વરીત ધસી જઈ તેને દબોચી લીઘો હતો જેનો કબજો ઉના પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy