કોલકતા, તા.7
શનિવારે ટીએમસીએ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંદેશ ખાલી વિવાદ પાછળ ભાજપનું કાવતરુ છે. જો કે પશ્ર્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે આક્ષેપ લગાવ્યો છે કે સંદેશ ખાલી મામલામાં મુખ્ય આરોપી શાહજહાં શેખને ક્લીનચિટ આપવા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
મજુમદારે જણાવ્યું હતું કે, સંદેશખાલી પર જે કથિત સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તે સંદેશખાલીની સચ્ચાઇને દબાવવાનો પ્રયાસ છે. મજુમદારે આ વીડિયો જાહેર કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે. મજુમદારે આક્ષેપ લગાવ્યો હતો.
આ વીડિયો બોગસ છે પણ લોકોને બેવકુફ બનાવવા સહેલા નથી. મજુમદારે આ વીડિયો એઆઇ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવાયો છે તેમ કહ્યું છે. આ વીડિયો બહાર આવ્યો કે ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે પાર્ટીએ શાહજહાં શેખને બરખાસ્ત કરતાં પહેલા વિચારવું જોઇતું હતું. હવે વીડિયોને શાહજહાં શેખને ક્લીનચિટ આપવામાં ઉપયોગી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy