જામનગર,તા.28
જામનગર જિલ્લામાં મોત મામલે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લાલપર તાલુકાના શેતાલુસ ગામે રહેતાં 30 વર્ષિય યુવાન કોઇ કારણોસર નશીલો પદાર્થ પી જતાં જેની પ્રતિકૂળ અસર થઇ હતી અને તેને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે સારવાર કારગત ન નિવડતા યુવાને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હોવાનું જાહેર થયું હતું. આ મામલે મેઘપર પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મેઘપર પોલીસ ચોપડે નોંધાયેલા મોતના કેસની વિગત એવી છે કે, મૂળ છત્તીસગઢના અને હાલ લાલપુર તાલુકાના સેતાલુસ ગામે રહેતાં સુખલાલ શ્રીરામ પાંન્ડો (ઉ.વ.30) નામનો યુવાન ગત્ તા.25ના બપોરના 2:00 વાગ્યાથી લઇ રાત્રીના 2:00 વાગ્યા સુધીમાં કોઇપણ કારણોસર નશીલો પદાર્થ પી ગયો હતો. આ નશીલા પદાર્થની પ્રતિકૂળ અસર થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડાયો હતો.
જ્યાં સારવાર કારગત ન નિવડતાં આ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. આ બનાવ અંગે રાજેન્દ્રર જેઠુભાઇ કોરવાએ મેઘપર પોલીસે જાણ કરતા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ આઇ.ડી.જાડેજા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy