(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.29
ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.30 માર્ચ, 2024 શનિવારના રોજ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા- 2024 આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર આ પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અનેગેરરિતીઓ અટકે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, ગેરરીતિ ન થાય તે માટે પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઇ ફરમાવવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ, ફેક્સ, ઝેરોક્ષ, કોપી મશીનો, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ, ફેક્સ સહિત કોઇપણ પ્રકારના કોમ્યુનિકેશન સાધનો તથા આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષ, કોપી મશીનો સહિતના ઇલેક્ટ્રોનિક વિજાણુ યંત્ર પર પરીક્ષા સમય દરમિયાન પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રોની ચો તરફ 100 મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં આ જાહેરનામાં અંતર્ગત પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઇ ફરમાવવામાં આવી છે.
તા.30 માર્ચ, 2024ના રોજ સવારના 9.30 કલાકથી સાંજના 6.30 કલાક સુધી પરીક્ષાની હદમાં પરીક્ષા કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ 100 મીટરની હદમાં જાહેર માર્ગો પર 4 કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર કે વાહન રાખવા પર પ્રતિબંધ રહેશે. આ હુકમ તા.30 માર્ચ, ર0ર4ના રોજ સવારના 9.30 કલાકથી સાંજના 6.30 કલાક સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-188 અંતર્ગત શિક્ષાપાત્ર રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy